Published On Aug 28, 2024
જે ફેમિલીમાં મા-બાપ ધાર્મિક પ્રકૃતિના હોય, ઘરમાં સવાર-સાંજ પૂજા થતી હોય અને ફેમિલી મેમ્બર્સ નિયમિત મંદિરે પણ જતાં હોય તે ઘરનું એકનું એક સંતાન અચાનક પોતાનો ધર્મ છોડીને કોઈ બીજો ધર્મ સ્વીકારી લે અને મા-બાપની ઈચ્છા વિરૂદ્ધ તે ધર્મની ટ્રેડિશન ફૉલો કરવાનું તેમજ ઘરમાં માથું અને બહાર ચહેરો ઢાંકવાનું શરૂ કરી દે તો તે મા-બાપની હાલત શું થતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ઈન્ડિયામાં પોતાની ખૂબ જ સારી જિંદગી છોડીને ઘણા ગુજરાતીઓ માત્ર બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેવી આશા સાથે વિદેશ સેટલ થઈ જતા હોય છે. જોકે, વિદેશમાં જોવા મળતું ફ્રી કલ્ચર ક્યારેક બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાને બદલે તેની જિંદગી બરબાદ કરી દેતું હોય છે અને આવું જ કંઈક હાલ UKમાં રહેતી એક ગુજરાતી ફેમિલી સાથે થઈ રહ્યું છે
જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...