Published On Mar 7, 2024
"પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી"
એક હાસ્યકલાકાર ૫૦ વર્ષ પછી તેની બધી આવક શિક્ષણ અને આરોગ્ય માટે દાન કરે તેવા દ્રઢ સંકલ્પ કરી અત્યાર સુધીમાં ૯ કરોડથી વધુ આવકનું દાન કરી દીધું તેવા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી એ વિચારના વાવેતર કાર્યક્રમને વર્તમાન સમયની જરૂરીયાત ગણાવી હતી. આપણા વિચાર પવિત્ર હોય ત્યારે સફળતા મળે છે. વિચાર, વાણી અને વર્તન સમાન હોય ત્યારે તે માણસ સજ્જન કહેવાય છે. તેમણે કાર્યક્રમને જરૂરી ગણાવતા જણાવ્યું હતું કે, વિચારો જ તમારા સદગુરૂ છે. જે માણસ પાસે કોઈ વિચાર જ નથી તે માણસ જગતનો લાચાર માણસ છે. તેમણે મન અને મગજ ને જુદા ગણાવી ભૂમિકા સમજાવી હતી. મન ને જોઈ શકાતુ નથી. તે મગજનું સોફ્ટવેર છે એટલે જ માણસના જીવનમાં વિચારની ભૂમિકા મહત્વની છે. જીવનભર સફેદ કપડા જ પહેરીશ તેવો સંકલ્પ લેનાર જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જીવનમાં સરળતા હોય તો જ માણસ તરીકે ગૌરવ અનુભવાય છે. સાંભળો એમની વાતો... @JagdishTrivediOfficial
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat
❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78...
❋ Twitter : / official_spss
❋ Youtube : / @spss_surat
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222