પ્રભુ મારે તમને સાચું કહેવું છે | નીચે લખેલું છે કિર્તન | સુરાપુરા દાદા | રામજી મંદિર મંડળ રોહીશાળા​
રામજી મંદિર ભજન મંડળ રોહીશાળા​ રામજી મંદિર ભજન મંડળ રોહીશાળા​
3.42K subscribers
25,367 views
241

 Published On Mar 31, 2024

નીચે લખેલું છે કિર્તન
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર​વાનુ ભુલતા નઇ
________________ કિર્તન _________________
પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે
અમને બીક નથી જરાય મારે તમને સાચું કહેવું છે
કેવા કેવા કલંક ચડાવ્યા
સીતાજી ને વનમાં વળાવિયા
પ્રભુ તમે કાંઇ નો કર્યો વિચાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.......

દુર્યોધન અર્જુન ની સંગે
મળવા આવ્યા તમે ઉમંગે
પ્રભુ તમે કેવા છો પક્ષપાત મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....

અભિમન્યુ ના મામા થય ને
મારી નખાવયો માથે રહીને
પ્રભુ તમે કેવા છો કિરતાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....

ક્યાં અપરાધે વાલીને માર્યો
વિભિક્ષણ નો વાંક વિચાર્યો
વાવ્યું વેર વાતુ દરબાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....

પુરુષોત્તમ કહે સમય પાકયો
વાટ જોઈ ને હરિ હું થાક્યો
આવો સૃષ્ટિ નો સર્જન હાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે
અમને બીક નથી જરાય મારે તમને સાચું કહેવું છે


પ્રભુ મારે તમને સાચું કહેવું છે | સુરાપુરા દાદા નો સત્સંગ | રામજી મંદિર ભજન મંડળ રોહીશાળા​ #kirtan #bhajan #jayshreeram #satsang #bhakti #jayshreekrishna #jaybholenaath #jaysurapuradada #surapuradada #ram #ramjimandir #rohishala #satsangmandal #village #gamdu

show more

Share/Embed