Published On Aug 29, 2024
ગુજરાત માં પૂરગ્રસ્તોની વારે આવ્યું નડિયાદનું સંતરામ મંદિર.
જન સેવા એ જ પ્રભુ સેવા નિયુક્તિને અવારનવાર સાર્થક કરે છે નડિયાદ નું સંતરામ મંદિર.
નડિયાદ ના સંતરામ મંદિર દ્વારા વડોદરા મોકલવા માટે 13 હજાર થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા.
નડિયાદમાં સંતરામ મંદિરમાંથી સતત ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે
ગઈકાલે 5 હજાર જેટલા ફૂડ પેકેટ કરમસદ સંતરામ મંદિર ખાતેથી મોકલી આપવામાં આવેલા હતા
નડિયાદના સંતરામ મંદિરમાં અવિરત સેવાની સરવાણી શરૂ કરવામાં આવી છે
ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જ્યાં પણ ફૂડ પેકેટની જરૂર હશે ત્યાં તંત્ર મંદિરના શયંચકો દ્વારા આ ફૂડ પેકટો પહોંચાડવામાં આવી રહ્યા છે
છેલ્લાં ચાર દિવસ થી સંતરામ મંદિર દ્વારા નડિયાદ ની તમામ હોસ્પિટલો અને શેલ્ટર હોમ કે જ્યાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે ત્યાં પણ સંતરામ મંદિર દ્વારા ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે