Published On Aug 15, 2023
શ્રી નવજીવન વિધાલય નિકાવા દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની શ્રી વોરા બી.બી સ્કૂલ ખાતે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી...
આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે ભારત દેશની આઝાદીનું 77 મું વર્ષ. આ 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શ્રી નવજીવન વિધાલય દ્વારા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શ્રી નવજીવન વિધાલય ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિતે રાષ્ટ્રધ્વજ ને સલામી આપી નિકાવા ના સરપંચશ્રી મીનાબેન મારવીયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓએ દેશ ભક્તિના નારા લગાવીને દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. તેમજ અલગ અલગ સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા.
આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. તેમજ આ 77માં સ્વાતંત્ર્ય પર્વ પર ઉપસ્થિત મહેમાનો,આચર્યશ્રી, શિક્ષકો અને વાલીશ્રી એ બાળકો ને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.
સ્વાતંત્ર્ય પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છા.
હિરેનભાઈ દોગા.
#77thindependenceday2023 #independence #celebrate #schoolspeech #Navjivan #SHREE #NAVJIVAN #schoolnikava #NIKAVA #Education #Academic #Student #PrimarySchool #SecondarySchool #HigherSecondarySchool #gseb