Published On Apr 13, 2024
સ્વામી નિખિલેશ્વરાનંદજી જેઓ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે તેમની સાથે થયેલ ઇન્ટરવ્યુ-સત્સંગનું અવતરણ:
- અષ્ટાંગ યોગ - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ
- પાંચ યમ - સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા
- પાંચ નિયમ - શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વર પ્રણિધાન
- ધ્યાન એ સપ્તમ સોપાન છે.
- અત્યારે આપણે જે કરીએ છીએ તે ધ્યાન નથી પરંતુ પ્રત્યાહાર છે.
- ૧૨ સેકન્ડ સુધી જો તમે કોઇ એક જ પ્રત્યાહાર પર કોન્સનટ્રેટ કરી શકો, કોઇપણ અવરોધ વગર તો તેનું નામ છે ધારણા.
- ૧૨X૧૨ સેકન્ડસ=૧૪૪ સેકન્ડસ જો તમે કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ ધ્યાન છે. ૧૪૪ સેકન્ડસ સુધી એક જ પ્રત્યેય પર, એકપણ વિક્ષેપ વગર જો કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ ધ્યાન છે.
- ૧૨X૧૨X૧૨=૧૭૨૮ સેકન્ડસ = ૨૮.૮ મિનિટ્સ માટે જો કોઇ એક પ્રત્યેય પર, એક ક્ષણનાં પણ વિક્ષેપ વગર કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ સમાધિ છે.
- ગુરુના ચાર લક્ષણ - શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, નિષ્પાપ, અકામ
- શિષ્યનાં ચાર લક્ષણ
- શિષ્યની છ પ્રકારની સંપતિ
- પ્રાણાયામમાં રેચક-પૂરક કરો, અનુલોમ-વિલોમ કરો પરંતુ કુંભકમાં ન જાવ. કુંભકથી ઘણીબધી સિધ્ધિઓ આવે છે પછી આધ્યાત્મિક જીવનમાં ભટકી જવાય છે.
- ધ્યાન શરુઆતમાં પાંચ મિનિટથી વધારે ના કરવું. પછી ધીમે-ધીમે વધારવું. એકીસાથે ના કરવું.
- પેટની નીચેના ત્રણ ચક્રો (મૂળાધાર, સ્વાધિસ્થાન, મણીપુર) પર ધ્યાન કરવું હિતાવહ નથી.
- ગુરુનાં માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું.
- સર્વાંગી વિકાસ - શારીરિક, માનસિક, બૌધ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ
- સ્વામી વિવેકાનંદે આપેલ નૈતિકતાની વ્યાખ્યા - That which is selfish is immoral, and that which is unselfish is moral. સ્વાર્થપણું છે એ અનૈતિકતા છે અને નિ:સ્વાર્થપણું છે એ નૈતિકતા છે.
- ચાર યોગ - રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ
- પાંચમો યોગ - સેવાયોગ
- મુખ્ય વસ્તુ છે, "કોણે કેટલા પ્રમાણમાં પોતાની દિવ્યતાને અભિવ્યક્તિ કરી", બાકી બધુ ગૌણ છે, ખરાબ નથી, પરંતુ ગૌણ છે.
- અવતાર એટલે સનાતન ધર્મની ઓટોમેટીક એન્ટી-વાયરસ સિસ્ટમ.
- બ્રહ્મ એઠો થયો નથી, અર્થાત બ્રહ્મનું વર્ણન શબ્દોથી(મુખથી) ના થઇ શકે. - રામકૃષ્ણ પરમહંસ
સંપાદન
દેવાંગ વિભાકર
એડિટર - www.SpeakBindas.com
----
સ્વામી નિખિલેશ્વરાનંદજીની યુટ્યુબ ચેનલ: / @nikhileswarananda
#Nikhileswarananda #swamiNikhileswarananda #ramkrishnamission #ramkrishnaashram #ramkrishnaashramrajkot #swamivivekananda #interview #speakbindas #devangvibhakar