Interview of Swami Nikhileshwaranandji - અવતાર એટલે સનાતન ધર્મની ઓટોમેટીક એન્ટી-વાયરસ સિસ્ટમ
Speak Bindas Speak Bindas
20.7K subscribers
1,052 views
41

 Published On Apr 13, 2024

સ્વામી નિખિલેશ્વરાનંદજી જેઓ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે તેમની સાથે થયેલ ઇન્ટરવ્યુ-સત્સંગનું અવતરણ:

- અષ્ટાંગ યોગ - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ

- પાંચ યમ - સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા

- પાંચ નિયમ - શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વર પ્રણિધાન

- ધ્યાન એ સપ્તમ સોપાન છે.

- અત્યારે આપણે જે કરીએ છીએ તે ધ્યાન નથી પરંતુ પ્રત્યાહાર છે.

- ૧૨ સેકન્ડ સુધી જો તમે કોઇ એક જ પ્રત્યાહાર પર કોન્સનટ્રેટ કરી શકો, કોઇપણ અવરોધ વગર તો તેનું નામ છે ધારણા.

- ૧૨X૧૨ સેકન્ડસ=૧૪૪ સેકન્ડસ જો તમે કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ ધ્યાન છે. ૧૪૪ સેકન્ડસ સુધી એક જ પ્રત્યેય પર, એકપણ વિક્ષેપ વગર જો કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ ધ્યાન છે.

- ૧૨X૧૨X૧૨=૧૭૨૮ સેકન્ડસ = ૨૮.૮ મિનિટ્સ માટે જો કોઇ એક પ્રત્યેય પર, એક ક્ષણનાં પણ વિક્ષેપ વગર કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ સમાધિ છે.

- ગુરુના ચાર લક્ષણ - શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, નિષ્પાપ, અકામ

- શિષ્યનાં ચાર લક્ષણ

- શિષ્યની છ પ્રકારની સંપતિ

- પ્રાણાયામમાં રેચક-પૂરક કરો, અનુલોમ-વિલોમ કરો પરંતુ કુંભકમાં ન જાવ. કુંભકથી ઘણીબધી સિધ્ધિઓ આવે છે પછી આધ્યાત્મિક જીવનમાં ભટકી જવાય છે.

- ધ્યાન શરુઆતમાં પાંચ મિનિટથી વધારે ના કરવું. પછી ધીમે-ધીમે વધારવું. એકીસાથે ના કરવું.

- પેટની નીચેના ત્રણ ચક્રો (મૂળાધાર, સ્વાધિસ્થાન, મણીપુર) પર ધ્યાન કરવું હિતાવહ નથી.

- ગુરુનાં માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું.

- સર્વાંગી વિકાસ - શારીરિક, માનસિક, બૌધ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ

- સ્વામી વિવેકાનંદે આપેલ નૈતિકતાની વ્યાખ્યા - That which is selfish is immoral, and that which is unselfish is moral. સ્વાર્થપણું છે એ અનૈતિકતા છે અને નિ:સ્વાર્થપણું છે એ નૈતિકતા છે.

- ચાર યોગ - રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ

- પાંચમો યોગ - સેવાયોગ

- મુખ્ય વસ્તુ છે, "કોણે કેટલા પ્રમાણમાં પોતાની દિવ્યતાને અભિવ્યક્તિ કરી", બાકી બધુ ગૌણ છે, ખરાબ નથી, પરંતુ ગૌણ છે.

- અવતાર એટલે સનાતન ધર્મની ઓટોમેટીક એન્ટી-વાયરસ સિસ્ટમ.

- બ્રહ્મ એઠો થયો નથી, અર્થાત બ્રહ્મનું વર્ણન શબ્દોથી(મુખથી) ના થઇ શકે. - રામકૃષ્ણ પરમહંસ

સંપાદન
દેવાંગ વિભાકર
એડિટર - www.SpeakBindas.com

----

સ્વામી નિખિલેશ્વરાનંદજીની યુટ્યુબ ચેનલ:    / @nikhileswarananda  

#Nikhileswarananda #swamiNikhileswarananda #ramkrishnamission #ramkrishnaashram #ramkrishnaashramrajkot #swamivivekananda #interview #speakbindas #devangvibhakar

show more

Share/Embed